નવી દિલ્હી: પૂર્વ ચિફ જસ્ટિસ રંજન ગોગોઇને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાજ્યસભાના સભ્ય તરીકે નોમિનેટ કર્યાં છે. પૂર્વ સીજેઆઇએ અયોધ્યામાં રામ મંદિર સહિત અનેક મહત્ત્વના નિર્ણયો પર ચુકાદા આપ્યા હતા. તેમની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે ૧૬૧ વર્ષથી પેન્ડિંગ રામ જન્મભૂમિ વિવાદની સતત સુનાવણી કરીને રામ મંદિર અંગેનો ચુકાદો આપ્યો હતો. આસામમાં અનેક વર્ષોથી પેન્ડિંગ એનઆરસી લાગુ કરવામાં તેમજ રાફેલ ફાઇટર જેટની ખરીદીમાં કેન્દ્ર સરકારને ક્લિન ચિટ આપવામાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા હતી. ગોગોઈએ ૧૦ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ત્રણ વરિષ્ઠ જજ સાથે મળીને સીજેઆઇ દીપક મિશ્રા વિરુદ્વ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.